ADVERTISEMENT

ADVERTISEMENT

વડાપ્રધાન મોદી વૈશ્વિક રાજનીતિમાં સૌથી પ્રભાવશાળી નેતા : મેરી મિલ્બન

આફ્રિકન-અમેરિકન ગાયિકા અને ભારતના લાંબા સમયના પ્રશંસક મેરી મિલ્બને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “વર્તમાન સમયના વૈશ્વિક રાજનીતિમાં સૌથી પ્રભાવશાળી અને સૌથી મહત્વપૂર્ણ નેતા” ગણાવ્યા છે. તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની નવી દિલ્હી બેઠકના સંચાલન માટે મોદીની પ્રશંસા કરી અને અમેરિકાને ભારત પ્રત્યેનો અભિગમ બદલવા અપીલ કરી.

મેરી મિલબન / IANS

આફ્રિકન-અમેરિકન ગાયિકા તથા ભારતના લાંબા સમયથી પ્રશંસક રહેલા મેરી મિલ્બને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “હાલ વૈશ્વિક રાજનીતિમાં સૌથી પ્રભાવશાળી અને સૌથી મહત્વપૂર્ણ નેતા” તરીકે ગણાવ્યા છે. તેમણે આ અઠવાડિયે નવી દિલ્હીમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યોજાયેલી બેઠકના સંચાલન માટે પણ વડાપ્રધાનની સરાહના કરી છે અને વોશિંગ્ટનને ભારત પ્રત્યેનો અભિગમ ફરીથી ગોઠવવા અપીલ કરી છે.

IANSને આપેલા ઇન્ટરવ્યુમાં મિલ્બને જણાવ્યું કે, મોદી-પુતિન વચ્ચેની વાટાઘાટો બંને દેશો વચ્ચેના “ઊંડા સંબંધો”ને પ્રતિબિંબિત કરે છે અને તેને ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકાના વ્યાપક સંદર્ભમાં જોવું જોઈએ. “વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની દૃષ્ટિએ આ એક ઉત્તમ બેઠક હતી,” તેમણે કહ્યું અને ઉમેર્યું કે “ભારત અને રશિયા વચ્ચેનો આ ચોક્કસપણે ઊંડો સંબંધ છે, જેવી રીતે અમેરિકા સાથે ભારતના ઊંડા મૂળ અને સંબંધો છે.”

મિલ્બને જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ ખાસ કરીને ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રે પોતાની વ્યૂહાત્મક શિસ્ત સાથે બેઠકનું સંચાલન કર્યું. “વડાપ્રધાન… પોતાના શબ્દોમાં કુટનીતિજ્ઞ અને વ્યૂહાત્મક રહ્યા,” તેમણે ટિપ્પણી કરી અને તેની સરખામણી પુતિનના તેલ તથા સંરક્ષણ સહકાર પર વધુ ભાર સાથે કરી.

પરંતુ તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીનો અભિગમ રાષ્ટ્રહિતમાં નિહિત છે. “છેવટે, વડાપ્રધાન ભારત માટે જે શ્રેષ્ઠ હશે તે કરશે… દરેક નેતા પોતાના દેશ માટે વ્યૂહાત્મક રીતે શ્રેષ્ઠ શું છે તે જોવે છે.”

તેમણે દલીલ કરી કે વડાપ્રધાન મોદીની કદાવર છબીએ તેમને વર્તમાન વૈશ્વિક ગણતરીઓના કેન્દ્રમાં સ્થાન આપ્યું છે. “વડાપ્રધાન… આજની તારીખે વૈશ્વિક રાજનીતિમાં સૌથી પ્રભાવશાળી અને સૌથી મહત્વપૂર્ણ નેતા છે. આ અકાટ્ય છે,” તેમણે કહ્યું. “વડાપ્રધાને ભારતને અને પોતાને વૈશ્વિક રાજનીતિમાં સૌથી મહત્વપૂર્ણ નેતા તરીકે સ્થાપિત કર્યા છે,” તેમણે ફરી દોહરાવ્યું.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમ સાથે નજીકના સંબંધો ધરાવતા મિલ્બને ટ્રમ્પ વહીવટીતંત્રની નવી દિલ્હી પ્રત્યેની તાજેતરની નીતિ પર અસાધારણ રીતે તીખી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે વેપારના મુદ્દે ભારત પ્રત્યેનો અભિગમ “ખૂબ આક્રમક” હતો અને તે “ધમકી આપવા જેવો” હતો.

“ભારત આપણો મિત્ર છે, આપણો સૌથી જૂનો અને સૌથી મજબૂત લોકતાંત્રિક ભાગીદાર છે,” તેમણે કહ્યું. “મિત્રો સાથે વાટાઘાટોના ટેબલ પર જઈને સકારાત્મક અને સ્વસ્થ મતભેદ રાખીને પણ સારો વેપાર કરી શકાય છે.” તેમણે દલીલ કરી કે આ “દુર્ભાગ્યપૂર્ણ આક્રમકતા”ના પરિણાશે મોટા વૈશ્વિક શક્તિઓ વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા છે, જેમાં ભારતની રશિયા અને ચીન સાથેની કુટનીતિનો પણ સમાવેશ થાય છે.

મિલ્બને ટ્રમ્પને નવી દિલ્હી બેઠકને નવી દૃષ્ટિએ જોવા અને સંબંધો સુધારવા સલાહ આપી. “મને આશા છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર અને રાષ્ટ્રપતિ આ બેઠકને નવી નજરે અને નવા દૃષ્ટિકોણથી જોશે,” તેમણે કહ્યું.

તેમણે વધુ આગળ વધીને સલાહ આપી કે ટ્રમ્પે વડાપ્રધાન મોદીને વોશિંગ્ટનની સત્તાવાર મુલાકાત માટે આમંત્રણ આપવું જોઈએ. “આ બેઠક જોયા પછી મારી સલાહ છે… વડાપ્રધાનને અમેરિકા બોલાવો, સાથે બેસો, ભોજન કરો, માફી માગો અને સંબંધોનું સમારકામ કરો,” તેમણે જણાવ્યું.

આવું પગલું અમેરિકાના હિતોને મજબૂત બનાવશે, ખાસ કરીને રશિયા-યુક્રેન શાંતિ પ્રક્રિયામાં. વડાપ્રધાન મોદી “સૌથી યોગ્ય અને એકમાત્ર એવા નેતા છે જે મુખ્ય ખેલાડીઓ વચ્ચે મધ્યસ્થી કરી શકે,” તેમ મિલ્બનનું માનવું છે.

તેમણે જણાવ્યું કે વૈશ્વિક નેતાઓ અમેરિકાની ચૂંટણી કેલેન્ડર પર નજર રાખી રહ્યા છે. “વિશ્વના દરેક નેતાને આપણી ચૂંટણી સિઝનની સત્યતા ખબર છે… નવેમ્બર મોટો સંકેત આપશે કે આ નેતાઓ પોતાના એજન્ડા આગળ કેવી રીતે વધશે.”

ટ્રમ્પ અને મોદી બંને પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે બંને લાંબા સમયથી મિત્રો છે. “મને ખરેખર લાગે છે કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મિત્રો છે, તેઓ હંમેશાથી મિત્રો રહ્યા છે.”

વડાપ્રધાન મોદીની તાજેતરની કુટનીતિએ તેમની વૈશ્વિક સ્થિતિને વધુ મજબૂત બનાવી છે : “તેમનું નેતૃત્વ આવી રીતે પ્રદર્શિત થયું છે કે તેમની વૈધતા અને વૈશ્વિક વિશ્વાસ નક્કર બન્યો છે… તેમણે બધાને ચતુરાઈથી પાછળ છોડી દીધા છે અને હું તેમની વાહવાહ કરું છું.”

નવી દિલ્હીમાં યોજાયેલી મોદી-પુતિન બેઠક ભારત-રશિયા વચ્ચે ઊંડા વ્યૂહાત્મક ભાગીદારીના નવા તબક્કાનું પ્રતીક છે, જેમાં સંરક્ષણ, ઊર્જા, અવકાશ અને પરમાણુ સહકારનો સમાવેશ થાય છે. રશિયા-યુક્રેન સંઘર્ષ શરૂ થયા પછી ભારતે મોસ્કો અને કીવ બંને સાથે સંવાદ જાળવ્યો છે અને તમામ પક્ષો સાથે કાર્યરત માર્ગ ધરાવતા થોડા મોટા દેશોમાંનો એક છે.

ભારતીય તથા અમેરિકી નેતાઓ માટે પ્રદર્શન કરી ચૂકેલા અને બંને લોકતંત્રો વચ્ચે અનૌપચારિક સાંસ્કૃતિક રાજદૂત તરીકે ઉભરી આવેલા મિલ્બન ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રબળ હિમાયતી છે અને વૈશ્વિક મંચો પર વડાપ્રધાન મોદીના નેતૃત્વની વારંવાર પ્રશંસા કરતા રહ્યા છે.

Comments

Related

To continue...

Already have an account? Log in

Create your free account or log in