ADVERTISEMENT

ADVERTISEMENT

યુકેમાં ખાલિસ્તાન સંબંધોને લીધે બ્રિટિશ શીખ વેપારી પર પ્રતિબંધો લાદાયા

ખાલિસ્તાન સંબંધિત કેસમાં બ્રિટનના આંતરિક આતંકવાદ-વિરોધી પ્રતિબંધોનો પ્રથમ વખત ઉપયોગ

UK Treasury / Wikipedia

યુનાઇટેડ કિંગડમે ભારતમાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદને ટેકો આપવાના આરોપ હેઠળ એક બ્રિટિશ શીખ વેપારી તથા એક સંદરે એક સંગઠન પર પોતાના આતંકવાદ-વિરોધી કાયદા હેઠળ સંપત્તિ સ્થગિત (એસેટ ફ્રીઝ) તથા અન્ય પ્રતિબંધો લાદ્યા છે.  

યુકે ટ્રેઝરીએ ગુરપ્રીત સિંઘ રેહલ નામના વેપારી સામે સંપત્તિ સ્થગિત અને કંપની ડિરેક્ટર તરીકેની અયોગ્યતા (ડિરેક્ટર-ડિસ્ક્વોલિફિકેશન)નો આદેશ જારી કર્યો છે. અધિકારીઓના મતે રેહલે ભારતમાં અનેક હુમલાઓ માટે જવાબદાર ગણાતા આતંકવાદી સંગઠન બબ્બર ખાલસાને સહાયોગ આપ્યો છે.  

આ ઉપરાંત બબ્બર અકાલી લેહર નામના સંગઠન પર પણ અલગથી સંપત્તિ સ્થગિત કરવામાં આવી છે. યુકે સરકારના જણાવ્યા અનુસાર આ સંગઠન બબ્બર ખાલસા માટે ભરતી અને ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિઓમાં સંકળાયેલું છે.  

ટ્રેઝરીના નિવેદન મુજબ, ગુરપ્રીત સિંઘ રેહલે બબ્બર ખાલસાને પ્રોત્સાહન આપવું, ભરતી કરવામાં મદદ કરવી, નાણાકીય સેવાઓ પૂરી પાડવી તેમજ હથિયારો અને અન્ય લશ્કરી સાધનોની ખરીદીમાં સહાય કરવી જેવી પ્રવૃત્તિઓ કરી છે. તેમણે બબ્બર ખાલસા અને બબ્બર અકાલી લેહર બન્નેને નાણાકીય ચેનલો દ્વારા સતત ટકાવી રાખવા સહયોગ આપ્યો હોવાનો આરોપ છે.  

આ પ્રતિબંધો હેઠળ યુકેમાં રેહલ કે બબ્બર અકાલી લેહરની માલિકીની, ધરાવતી કે નિયંત્રણમાં હોય તે તમામ સંપત્તિ તથા આર્થિક સાધનો સ્થગિત કરવામાં આવ્યાં છે. યુકેના નાગરિકો અને વેપારીઓને આ સંપત્તિ સાથે વ્યવહાર કરવો કે તેમને કોઇ નાણાં, આર્થિક સાધનો કે નાણાકીય સેવાઓ ઉપલબ્ધ કરાવવી પ્રતિબંધિત છે.  

રેહલને કોઇ પણ કંપનીના ડિરેક્ટર તરીકે કામ કરવું કે કંપનીના સંચાલન કે ર

રેહલ સાથે સંકળાયેલી સંસ્થાઓ – જેમ કે Saving Punjab CIC, Whitehawk Consultations Ltd અને Loha Designs નામનું અનિબદ્ધ જૂથ – પર પણ આ પ્રતિબંધો લાગુ પડશે.  

બબ્બર અકાલી લેહરને યુકેના Counter-Terrorism (Sanctions) (EU Exit) Regulations 2019 હેઠળ “સંકળાયેલ વ્યક્તિ” તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે, કારણ કે તેણે બબ્બર ખાલસાને પ્રોત્સાહન આપ્યું અને તેના વતી ભરતી પ્રવૃત્તિઓ હાથ ધરી છે.  

યુકેના આર્થિક સચિવ (ટ્રેઝરી) લ્યુસી રિગ્બી એમપીએ જણાવ્યું કે, “અમે બ્રિટિશ નાણાકીય વ્યવસ્થાનો ઉપયોગ આતંકવાદને ટેકો આપવા માટે થવા નહીં દઈએ. આ કાર્યવાહી દર્શાવે છે કે આતંકવાદના ભંડોળને રોકવા માટે અમે ઉપલબ્ધ તમામ સાધનોનો ઉપયોગ કરવા તૈયાર છીએ – ગમે તે થાય અને ગમે તે જવાબદાર હોય.”  

પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા પર ૭ વર્ષ સુધીની જેલ અથવા લગભગ ૧૦ કરોડ રૂપિયા (આશરે £૧ મિલિયન) સુધીનો દંડ અથવા ઉલ્લંઘનની રકમના ૫૦ ટકા – જે વધુ હોય તે – થઈ શકે છે.  

અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યવાહી યુકે પોલીસ અને કાણા એજન્સીઓ સાથે નજીકના સંકલન પછી કરવામાં આવી છે અને તેનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે-સાથે ભારતમાં ખાલિસ્તાન સંબંધિત ઉગ્રવાદથી પ્રભાવિત સમુદાયો પ્રત્યે સમર્થન દર્શાવવાનો પણ છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video