ADVERTISEMENT

ADVERTISEMENT

બંગાળ ફાઇલ્સ ટ્રેલર: કોલકાતામાં લોન્ચ સમયે રાજકીય અડચણો.

બંગાળ ફાઇલ્સનું ટ્રેલર પછીથી યૂટ્યૂબ પર લોન્ચ કરવામાં આવ્યું.

ખાનગી હોટલમાં અગ્નિહોત્રીની ફિલ્મનું ટ્રેલર લોન્ચ અટકાવનારા કોલકાતા પોલીસ અધિકારીઓને પૂછપરછ કરતા અગ્નિહોત્રીના વીડિયોનો સ્ક્રીનગ્રેબ. / Courtesy photo

બંગાળ ફાઇલ્સ: વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મને 16 ઓગસ્ટે બંગાળમાં સતત રાજકીય અડચણોનો સામનો કરવો પડ્યો

કોલકાતામાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ થવાનું હતું, પરંતુ થિયેટરમાં પ્રદર્શન નિર્ધારિત સમય પહેલાં રદ કરવામાં આવ્યું. ત્યારબાદ લોન્ચ સ્થળને એક ખાનગી હોટેલમાં ખસેડવામાં આવ્યું, પરંતુ પશ્ચિમ બંગાળ પ્રશાસને તેને પણ અટકાવ્યું, જેના કારણે રાજકીય વિવાદ ઊભો થયો. વિવેક અગ્નિહોત્રીએ તેમના અધિકારો પર હુમલો થયો હોવાનો આરોપ લગાવ્યો.

‘બંગાળ ફાઇલ્સ’ એ વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત આગામી હિન્દી રાજકીય ડ્રામા ફિલ્મ છે, જે 1946ના ગ્રેટ કલકત્તા કિલિંગ્સ અને બંગાળની સાંપ્રદાયિક હિંસા પર કેન્દ્રિત છે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બર, 2025ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર અને પલ્લવી જોશી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ અગ્નિહોત્રીની ‘ફાઇલ્સ ટ્રિલોજી’નો અંતિમ ભાગ છે, જેમાં ‘ધ તાશ્કેન્ટ ફાઇલ્સ’ અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો સમાવેશ થાય છે.

એક્સ પર પોસ્ટ કરેલા વીડિયોમાં અગ્નિહોત્રીએ આરોપ લગાવ્યો કે બંગાળના ઉચ્ચ સ્તરના રાજકારણીઓના દબાણને કારણે થિયેટર ચેન દ્વારા પ્રદર્શન રદ કરવામાં આવ્યું. તેમણે કહયું, “અમારું ટ્રેલર, અન્ય કોઈ ટ્રેલરની જેમ, થિયેટરમાં લોન્ચ થવાનું હતું.”

તેમણે આગળ કહયું, “અમારી પાસે તમામ પરવાનગીઓ અને પત્રવ્યવહાર લેખિતમાં હતા, તેથી અમારી આખી ટીમ કોલકાતા પહોંચી. પરંતુ અહીં પહોંચ્યા બાદ મને જાણ થઈ કે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે, અને તે પણ એવા અલિખિત અને બિનસત્તાવાર બહાના હેઠળ કે તેમના પર (જે થિયેટરમાં લોન્ચ નિર્ધરિત હતું) ઘણું રાજકીય દબાણ છે અને તેઓ કોઈપણ પ્રકારનો રાજકીય વિવાદ નથી ઇચ્છતા.”



પ્રદર્શન રદ થવા પાછળના કથિત રાજકીય દળો પર સવાલ ઉઠાવતાં તેમણે કહયું, “તે લોકો કોણ છે, તે રાજકીય દબાણ શું છે, કઈ રાજકીય પાર્ટી અમારો અવાજ દબાવવા માંગે છે અને તે આવું શા માટે કરવા માંગે છે?”

તેમણે ઉમેર્યું, “આ આપણી લોકશાહી પર ખૂબ જ દુઃખદ ટિપ્પણી છે. શું ભારતમાં બે બંધારણો છે, ભારતીય બંધારણ અને બંગાળનું બંધારણ?”

સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે કોલકાતામાં જ ટ્રેલર લોન્ચ કરવાનો નિર્ણય જાહેર કર્યો. ત્યારબાદ લોન્ચને કોલકાતાની એક હોટેલમાં ખસેડવામાં આવ્યું, પરંતુ આ પણ પ્રદર્શનની વચ્ચે જરૂરી પરવાનગીઓના અભાવે અટકાવી દેવામાં આવ્યું.

અગ્નિહોત્રીએ પોલીસ અધિકારીઓનો સામનો કરીને પૂછ્યું, “જો અમે કંઈક ગેરકાયદેસર કરી રહ્યા હોઈએ, તો તમે તેને સવારે શા માટે ન અટકાવ્યું, હવે શા માટે અટકાવી રહ્યા છો?”

તેમણે નોંધ્યું, “તમે જોઈ શકો છો કે કેટલા પોલીસ કર્મચારીઓ હાજર છે, જાણે અમે ચોર હોઈએ. તેમણે સીબીએફસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) દ્વારા મંજૂર થયેલ ટ્રેલરને ખાનગી સ્થળે અટકાવ્યું છે. આ નિરંકુશતા અને ફાસીવાદ સિવાય બીજું કંઈ નથી.”

આ ઘટનાના સમાચાર એક્સ પર શેર કરતાં તેમણે પૂછ્યું, “હિન્દુ નરસંહારની સચ્ચાઈથી કોણ ડરે છે? અને શા માટે?”

તેમણે એમ પણ જાહેર કર્યું, “ટાગોર અને વિવેકાનંદની ભૂમિમાં લોકશાહી મૃત્યુ પામી છે.”



ફિલ્મનું ટ્રેલર ત્યારબાદ યૂટ્યૂબ પર લોન્ચ કરવામાં આવ્યું અને ફિલ્મ 5 સપ્ટેમ્બરે વિશ્વભરમાં પ્રીમિયર માટે તૈયાર છે.

Comments

Related

To continue...

Already have an account? Log in

Create your free account or log in