ADVERTISEMENT

ADVERTISEMENT

ભારતીય વિદ્યાર્થીઓનો કેનેડાથી મોહભંગ, સ્ટુડન્ટ વિઝામાં 86 ટકાનો ઘટાડો

ગયા વર્ષે શરૂ થયેલા ભારત-કેનેડા રાજકીય વિવાદની ભારતમાંથી કેનેડા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ પર મોટી અસર પડી છે. કેનેડામાં અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે.

 ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના પ્રધાન જસ્ટિન ટ્રુડો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના પ્રધાન જસ્ટિન ટ્રુડો / Google

કેનેડા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ પર મોટી અસર

ગયા વર્ષે શરૂ થયેલા ભારત-કેનેડા રાજકીય વિવાદની ભારતમાંથી કેનેડા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ પર મોટી અસર પડી છે. કેનેડામાં અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. કેનેડાના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર, ગયા વર્ષના અંતથી ઓટાવા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી અભ્યાસ પરમિટની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે.

કેનેડામાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદીની હત્યા બાદ રાજદ્વારી વિવાદ શરૂ થયો હતો. આ પછી ભારતે પરમિટ પ્રક્રિયામાં સામેલ કેનેડિયન રાજદ્વારીઓને દેશની બહારનો રસ્તો બતાવ્યો હતો. અભ્યાસ માટે કેનેડા જવા ઇચ્છુક ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ સ્ટડી પરમિટ માટે પણ અરજી કરી ન હોવાથી વિવાદ વકર્યો હતો. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારતીયોને સ્ટડી પરમિટની સંખ્યામાં ટૂંક સમયમાં વધારો થવાની શક્યતા નથી.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂનમાં કહ્યું હતું કે તેમની પાસે બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે ભારતીય એજન્ટોને જોડવાના પૂરતા પુરાવા છે તે પછી રાજદ્વારી તણાવ ઊભો થયો હતો. ઈમિગ્રેશન મિનિસ્ટર મિલરે જણાવ્યું હતું કે તણાવને કારણે આગળ જતા સંખ્યાઓ પર અસર થવાની સંભાવના છે. મિલરે કહ્યું કે ભારત સાથેના અમારા સંબંધોને કારણે ભારતની ઘણી અરજીઓ પર પ્રક્રિયા કરવાની અમારી ક્ષમતા અડધી થઈ ગઈ છે.

ઑક્ટોબરમાં, કેનેડાને નવી દિલ્હીના આદેશ પર ભારતમાંથી 41 રાજદ્વારીઓ અથવા તેના બે તૃતીયાંશ સ્ટાફને પાછા ખેંચવાની ફરજ પડી હતી. આ સિવાય મંત્રીના પ્રવક્તાએ કહ્યું કે આ વિવાદે ભારતીય વિદ્યાર્થીઓને અન્ય દેશોમાં ભણવા માટે પ્રેરિત કર્યા છે.

આ વિવાદને કારણે ગયા વર્ષના ચોથા ક્વાર્ટરમાં ભારતીયોને ઇસ્યૂ કરાયેલાં અભ્યાસ પરમિટમાં અગાઉના ક્વાર્ટરની તુલનામાં 86 ટકા ઘટાડો થયો હતો. સત્તાવાર આંકડાઓ મુજબ, પરમિટની સંખ્યા 108,940 થી ઘટીને 14,910 થઈ છે.

થોડા સમય પહેલા, ઓટાવામાં ભારતીય હાઈ કમિશનના કાઉન્સેલર સી. ગુરુ સુબ્રમણ્યમે કહ્યું હતું કે કેનેડિયન સંસ્થાઓમાં રહેણાંક અને પર્યાપ્ત શિક્ષણ સુવિધાઓના અભાવને લગતી તાજેતરની ચિંતાઓને કારણે કેટલાક ભારતીય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.

Comments

Related