શબરીધામ ખાતે શ્રી સત્યાય ગૌસેવા ધુન મંડળ દ્વારા કીડિયારું પૂરવાનું આયોજન
March 2026 1 views 01 min 16 secચૈત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લામાં આવેલ શબરીધામ ખાતે શ્રી સત્યાય ગૌસેવા ધુન મંડળ દ્વારા કીડિયારુ પૂરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની શરૂઆત થતા જ જમીનની અંદરથી નાના નાના જીવો બહાર આવતા હોય છે ત્યારે આ જીવો માટે શ્રીફળની અંદર ઘઉં, ચણા, મકાઈનો લોટને ઘી અને ગોળ સાથે મૂકવામાં આવે છે. આ શ્રીફળ શબરીધામ જંગલ વિસ્તારના 8000 થી વધારે વૃક્ષોના થડિયા પર મૂકવામાં આવ્યું છે. આ સેવાના કાર્યમાં સુરતથી આશરે 500 થી પણ વધારે લોકો જોડાયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video


.png)



