ન્યૂયોર્ક સ્થિત પોલેન્ડના કોન્સ્યુલેટ જનરલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અપેક્ષા નિરંજના / Apeksha Niranjan
ભારતીય ભરતનાટ્યમ નર્તિકા અપેક્ષા નિરંજને ૧૮ નવેમ્બરે ન્યૂયોર્ક સ્થિત પોલેન્ડના કોન્સ્યુલેટ જનરલ દ્વારા આયોજિત ચર્ચા કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભાગ લીધો હતો.
“યુદ્ધ અને અત્યાચારમાંથી બચી નીકળતાં બાળકો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનાવવું – ગુડ મહારાજાનાં પોલિશ બાળકોથી લઈને યુક્રેનનાં બાળકો સુધી” શીર્ષકવાળા આ કાર્યક્રમમાં પોલેન્ડનાં પ્રખ્યાત લેખિકા, પટકથા લેખિકા અને નિર્માતા મોનિકા કોવાલેચ્કો-શુમોવ્સ્કા તથા ભરતનાટ્યમ નર્તિકા-નૃત્ય દિગ્દર્શક અને પોલિશ શરણાર્થી વાન્ડા નોવિકાનાં પ્રપૌત્રી અપેક્ષા નિરંજનએ ભાગ લીધો હતો.
આ બંને કલાકારો વિશ્વભરમાં પોલેન્ડ-ભારતના ઓછા જાણીતા ઐતિહાસિક સંબંધોની ચર્ચા કરતી પ્રવાસ યોજનામાં છે અને ન્યૂયોર્કની મુલાકાત એ સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક ચિંતનનો ખાસ પ્રસંગ બની રહી.
જોઝેફ પિલ્સુડસ્કી ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા અને પોલેન્ડ કોન્સ્યુલેટ જનરલના સંયુક્ત આયોજનમાં યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ન્યૂયોર્કમાં પોલેન્ડના કોન્સલ જનરલ માતેઉશ સાકોવિચે કર્યું હતું. વાઇસ-કોન્સલ ક્રિસ્ટોફ પ્લાસ્કી તેમજ યુક્રેન કોન્સ્યુલેટના પ્રતિનિધઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મોનિકા કોવાલેચ્કોએ પોલિશ પરિવારોને સાઇબિરીયાના શ્રમ કેમ્પોમાં ધકેલાઈ જવાની તેમજ ભારતના ‘ગુડ મહારાજા’ દ્વારા લગભગ ૧,૦૦૦ બાળકોના બચાવની વાત કરી અને તેના દીર્ઘકાલીન વારસા તથા બચી ગયેલા લોકો અને તેમના વંશજો પરના ભાવનાત્મક બોજ વિશે ચર્ચા કરી.
નવાનગર (જામનગર)ના મહારાજા દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સોવિયેત શ્રમ કેમ્પોમાંથી છટકી નીકળેલા લગભગ ૧,૦૦૦ પોલિશ અનાથ બાળકોને પોતાના ખર્ચે આશ્રય આપ્યો હતો અને ‘લિટલ પોલેન્ડ ઇન ઇન્ડિયા’ નામનું શરણાર્થી શિબિર સ્થાપ્યું હતું.
આ ‘ગુડ મહારાજા’એ બાળકોને કહ્યું હતું, “તમે હવે અનાથ નથી; નવાનગરના નાગરિક છો.” તેમણે બાળકોનું શિક્ષણ, આરોગ્ય અને ખુશહાલીનો ખર્ચ પોતે ઉઠાવ્યો હતો જ્યાં સુધી તેઓ ઘરે પરત ફરી શક્યા.
અપેક્ષા નિરંજને પોતાની દાદી વાન્ડા નોવિકાની નિર્વાસન અને સંઘર્ષની યાત્રાને આધારે તૈયાર કરેલા ભરતનાટ્યમ પ્રસ્તુતિથી સાંજનો સમાપન કર્યો. ભારતીય શાસ્ત્રીય નૃત્યની ભાવભંગિમાઓ અને વાર્તા કથન દ્વારા તેમણે યુદ્ધમાં બધું ગુમાવનારાં અને ભારતમાં નવું જીવન શરૂ કરનારાં પોલિશ બાળકોને લાગણીસભર શ્રદ્ધાંજલિ આપી અને પોલેન્ડ તથા ભારતીય વારસા વચ્ચે એક હૃદયસ્પર્શી સેતુ બાંધ્યો જેનાથી પ્રેક્ષકો ભાવવિભોર થઈ ગયા.
આ કાર્યક્રમમાં પોલિશ અને ભારતીય પ્રવાસી સમુદાયના સભ્યો, ઇતિહાસકારો, શિક્ષકો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સહિયારો ઇતિહાસ હજુ જીવંત છે અને કળા, વાર્તા કથન તથા શિક્ષણ દ્વારા ઊંડાં સામૂહિક ઘા રુઝાય છે તેની પુષ્ટિ આ કાર્યક્રમે કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login