India’s Minister of External Affairs S Jaishankar and Minister of Commerce Piyush Goyal at the inauguration of the inauguration of the Aatmanirbhar Bharat Utsav in New Delhi on January 3, 2024 / PIB / Google
ભારત 4 ટ્રિલિયન યુએસ ડોલરની અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ લક્ષ્યાંક પૂરો થવાની સંભાવના છે, એમ ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું.
ગોયલ નવી દિલ્હીમાં આત્મનિર્ભર ભારત ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા વધીને US $5 ટ્રિલિયન થઈ જશે, જે 2027 સુધીમાં વિશ્વમાં ત્રીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. ગોયલના મતે, વડા પ્રધાનના અમૃતકાળના પંચ પ્રાણ મુજબ 1.4 અબજ ભારતીયો એક ટીમ તરીકે કામ કરીને લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. પંચ પ્રાણ અથવા અમૃતકાળના 5 મૂળભૂત સિદ્ધાંતોમાં ભારતના વિકાસ, સંસ્થાનવાદી માનસિકતાના કોઈપણ નિશાનને નાબૂદ કરવા, આપણા મૂળમાં સન્માન અને ગૌરવ, એકતાનો વિકાસ અને નાગરિકોમાં ફરજની ભાવનાનો સમાવેશ થાય છે.
પિયુષ ગોયલનું નિવેદન આવ્યાના બે મહિના પહેલાં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના સ્ક્રિન ગ્રેબના આધારે તો ભારતની અર્થવ્યવસ્થા પહેલેથી જ $4 ટ્રિલિયનના આંકને વટાવી ચૂકી છે. જો કે, તેની કોઇ અધિકૃત જાહેરાત IMFએ કરી નથી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેટા પર આધારિત તમામ દેશો માટે લાઈવ ટ્રેકિંગ જીડીપી ફીડમાંથી એક વણચકાસાયેલ સ્ક્રીનગ્રેબ દાવો કરે છે કે ભારતનું અર્થતંત્ર $4 ટ્રિલિયન થઇ ગયું છે. આ દાવો 19 નવેમ્બર, 2023 ન રોજ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો હતો. ગૌતમ અદાણી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એક અહેવાલ અનુસાર, આ માઈલસ્ટોનને બિરદાવનારા લોકોમાંના હતા.
ફોર્બ્સના ડિસેમ્બર 2023ના લેખ મુજબ, FY2024 ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતના વર્તમાન GDPએ 7.6 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. આ આંકડા RBIની અપેક્ષા કરતાં વધી ગયા છે જેણે ઓક્ટોબરમાં Q2 માટે GDP વૃદ્ધિ દર 6.5 ટકાનો અંદાજ મૂક્યો હતો. ડેટામાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ભારતનો જીડીપી વૃદ્ધિ દર એ જ સમયગાળા દરમિયાન રશિયા, યુએસ, ચીન અને યુકે જેવી મોટી અર્થવ્યવસ્થાઓ કરતા વધારે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login