ADVERTISEMENT

ADVERTISEMENT

૧૧ જાન્યુઆરીથી અમદાવાદ-અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઇટ, ૧ કલાક ૫૦ મિનીટમાં પહોંચાડશે

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા મંદિરમાં બિરાજમાન થશે. આ ભવ્ય સમારંભમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા ખાતે પહોંચે તેવી શક્યતાઓને પગલે વિવિધ જગ્યાથી ડાયરેક્ટ ફ્લાઇટો શરૂ કરવાનો નિર્ણય

Sardar Patel Airport / Google

અમદાવાદ-અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા મંદિરમાં બિરાજમાન થશે. આ ભવ્ય સમારંભમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા ખાતે પહોંચે તેવી શક્યતાઓને પગલે વિવિધ જગ્યાથી ડાયરેક્ટ ફ્લાઇટો શરૂ કરવાનો નિર્ણય વિવિધ એરલાઇન્સ દ્વારા કરવામાં આવ્યો છે. તેવામાં 11 જાન્યુઆરીથી અમદાવાદ-અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય ખાનગી એરલાઇન્સ કંપનીએ કર્યો છે. જેનું બુકિંગ પણ ઓનલાઇન શરૂ થઇ ગયું છે. હાલ અયોધ્યાનું ભાડું 3,999 રૂપિયા રાખવામાં આવ્યું છે. અમદાવાદથી આ ફ્લાઇટ સવારે 9.10 વાગે ઉપડશે. જ્યારે અયોધ્યાથી સવારે 11.30 વાગ્યે ઉપડશે. આ ડાયરેક્ટ ફ્લાઇટમાં માત્ર 1 કલાક 50 મિનિટમાં પહોંચી શકાશે.

અયોધ્યા માટે દિલ્હીથી ઉદઘાટન ફ્લાઈટ 30મીએ અયોધ્યા એરપોર્ટ પર લેન્ડ કરશે. ત્યારબાદ 6 જાન્યુઆરીથી દિલ્હી-અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઈટ માટે કોમર્શિયલ કામગીરી શરૂ કરાશે. જે બાદ 11 જાન્યુઆરી 2024થી અમદાવાદ-અયોધ્યા વચ્ચે ફ્લાઇટ શરૂ થશે.

અમદાવાદથી અયોધ્યા માટે ફલાઇટ નં 6E 6375 મંગળ, ગુરુ અને શનિવારે ફલાઇટ 11 જાન્યુઆરીથી સવારે 9.10 વાગ્યે ઉડાન ભરશે. આ જ રીતે અયોધ્યાથી અમદાવાદ માટે ફલાઇટ નં 6E 112 મંગળ, ગુરુ અને શનિવારે સવારે 11.30 વાગ્યે ઉડાન ભરશે જે અમદાવાદ એરપોર્ટ પર બપોરે 13.40 વાગ્યે લેન્ડ થશે

Comments

Related

To continue...

Already have an account? Log in

Create your free account or log in