પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું. / Image courtesy: Kremlin.ru
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો કે તેઓ યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. હૈદરાબાદ હાઉસ ખાતે ૨૩મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનની ઔપચારિક શરૂઆત પહેલાં પુતિને આ વાત કહી હતી.
“આમંત્રણ માટે અને ગઈ સાંજના અત્યંત મૈત્રીપૂર્ણ તેમજ માહિતીપ્રદ અને ઉપયોગી વાર્તાલાપ માટે ખૂબ ખૂબ આબ આભાર. અમને યુક્રેન ક્ષેત્રે ચાલી રહેલી પરિસ્થિતિ અને અમે અમેરિકા સહિત અન્ય ભાગીદારો સાથે મળીને આ સંકટના શાંતિપૂર્ણ ઉકેલ માટે શું કરી રહ્યા છીએ તે અંગે વિગતવાર ચર્ચા કરવાની તક મળી હતી,” એમ પુતિને પોતાની શરૂઆતની ટિપ્પણીમાં જણાવ્યું.
“તમારા ધ્યાન માટે આભાર અને આ પરિસ્થિતિ ઉકેલવાના તમારા પ્રયાસો માટે પણ ખૂબ ખૂબ આભાર,” એમ તેમણે વડાપ્રધાન મોદીની બાજુમાં બેઠેલા જણાવ્યું.
રશિયન રાષ્ટ્રપતિએ ભારત-રશિયા સંબંધોની ઊંડી ઐતિહાસિકતા પર પણ પ્રકાકશ નાખ્યો. “આપણે આ સંબંધોને કોઈ પણ નામ આપીએ, કોઈ પણ વિશેષણોથી સજાવીએ, મહત્વની વાત તેનું વાસ્તવિક સ્વરૂપ છે અને તે અત્યંત ગહન છે. અમે આની ખૂબ કદર કરીએ છીએ. અને અમે જોઈ રહ્યા છીએ કે તમે પણ, માનનીય વડાપ્રધાનજી, આ સંબંધોને વ્યક્તિગત રીતે ઘણું ધ્યાન આપી રહ્યા છો,” એમ પુતિને ઉમેર્યું.
તેમણે જણાવ્યું કે છેલ્લાં વર્ષોમાં બંને દેશોએ સંબંધોના વિકાસ માટે ઘણું કામ કર્યું છે અને બંને અર્થતંત્રોના વિકાસ સાથે સહકારની નવી તકો પણ વિસ્તરી રહી છે.
“અમે હાઈ-ટેકન્શિયલ, એવિએશન, અવકાશ, કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા નવા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છીએ. લશ્કરી-તકનીકી સહકારમાં અમારી વચ્ચે ખૂબ વિશ્વાસ છે. આ તમામ ક્ષેત્રોમાં આગળ વધવાની અમારી ઈચ્છા છે. આપણા સંબંધોના સ્તર, સ્વભાવ અને વિશ્વાસને આ વધુ મજબૂત બનાવે છે,” એમ રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું.
બેઠક શરૂ થતાં પહેલાં પુતિને જણાવ્યું કે મોસ્કો અને નવી દિલ્હીની ટીમોએ તેમની મુલાકાત પહેલાં ખૂબ સારું કામ કર્યું છે. “ઘણાં મહત્વના દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા છે. આજની ચર્ચા સકારાત્મક પરિણામ સાથે પૂરી થશે તેવી અમને પૂરેપૂરી ખાતરી છે.”
આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે પ્રેસિડન્ટ પુતિનનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને ભારત-રશિયા વિશેષ તેમજ વિશેષાધિકૃત ભાગીદારીને આગળ વધારવાનો જોઈએ તેવો સંદેશ આપ્યો હતો.
આજે પુતિનનો બીજો તેમજ અંતિમ દિવસનો કાર્યક્રમ પણ ગાઢ છે. તેઓ ભારત મંડપમમાં વ્યવસાયિક કાર્યક્રમમાં ભાગ લેશે અને સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી રાજકીય ભોજન સમારંભમાં હાજરી આપશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login