ADVERTISEMENT

ADVERTISEMENT

ભારતીય વિઝા વિલંબિત થયો છે, નકારવામાં આવ્યો નથી: અમેરિકી અધિકારીએ પાકિસ્તાની મૂળના ખેલાડીના દાવાને નકાર્યો

અહેવાલ મુજબ, વિઝા ‘વિલંબિત’ થયેલા તમામ ચાર ખેલાડીઓ પાકિસ્તાનમાં જન્મેલા છે પરંતુ હવે અમેરિકી નાગરિક છે.

 T20 world cup trophy T20 world cup trophy / IANS

આવનારા ૨૦૨૬ ટી-૨૦ વર્લ્ડ કપ માટે ભારતમાં પ્રવેશવા માટે ચાર પાકિસ્તાની મૂળના ખેલાડીઓને ભારતે વિઝા નકારી દીધા હોવાના દાવાને અમેરિકન ક્રિકેટના એક અધિકારીએ નકારી કાઢ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વિઝા નકારવામાં આવ્યો નથી, માત્ર વિલંબ થયો છે, એવો અહેવાલ ટેલિકોમ એશિયા સ્પોર્ટ (www.telecomasia.net)માં પ્રકાશિત થયો છે.

યુએસએના ઝડપી બોલર અલી ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપમાં દાવો કર્યો હતો કે તેમની સાથે શયાન જહાંગીર, મોહમ્મદ મોહસિન અને એહસાન અદિલ સહિત ચાર પાકિસ્તાની મૂળના ખેલાડીઓને ભારત-શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનારા પુરુષોના ૨૦૨૬ ટી-૨૦ વર્લ્ડ કપ માટે વિઝા નકારી દેવામાં આવ્યા છે.

આ અંગે નામ ન છાપવાની શરતે યુએસએના એક અધિકારીએ www.telecomasia.netને જણાવ્યું હતું કે, “વિઝાનો મામલો યુએસએ ક્રિકેટ એસોસિએશન દ્વારા હેન્ડલ કરવામાં આવી રહ્યો છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયંત્રણ હેઠળ છે. એક ખેલાડી દ્વારા ભૂલથી વિઝા નકારવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.”

અહેવાલ મુજબ, વિઝા વિલંબિત થયેલા આ ચારેય ખેલાડીઓ પાકિસ્તાનમાં જન્મેલા છે પરંતુ હાલ અમેરિકી નાગરિક છે. જોકે ભારતના વિઝા નિયમો અનુસાર, પાકિસ્તાનમાં જન્મેલા તમામ વ્યક્તિઓએ તેમના જન્મ દેશના પાસપોર્ટ પર જ વિઝા માટે અરજી કરવી પડે છે.

અલી ખાન દ્વારા નામ આપવામાં આવેલા એક ખેલાડીએ પણ www.telecomasia.netને પુષ્ટિ કરી હતી કે વિઝા નકારવામાં આવ્યા નથી, પરંતુ તે પ્રક્રિયાધીન છે અને વિલંબ થયો છે.

ભારત અને શ્રીલંકા દ્વારા ૭ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપમાં આ વિઝા મુદ્દો આગામી દિવસોમાં વધુ ચર્ચામાં રહે તેવી શક્યતા છે.

આ સમસ્યાથી લગભગ આઠ દેશો પ્રભાવિત થઈ શકે છે. અમેરિકા ઉપરાંત યુએઈ, ઓમાન, નેપાળ, કેનેડા, ઈંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડના પણ પાકિસ્તાની મૂળના ખેલાડીઓ છે. અહેવાલો અનુસાર આ યાદીમાં ઇટાલી પણ સામેલ થઈ શકે છે કારણ કે ત્યાં પણ એક પાકિસ્તાની મૂળનો ખેલાડી હોવાની શક્યતા છે.

ICCના સૂત્રોએ www.telecomasia.netને જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસો અને હાઈ કમિશનને વિશેષ સૂચનાઓ મોકલવામાં આવી છે કે આ મામલાને વિશેષ કેસ તરીકે ગણીને પાકિસ્તાની મૂળના ખેલાડીઓને સુવિધા આપવામાં આવે. “અમે ભારતીય દૂતાવાસોને વિશેષ નિર્દેશો મોકલ્યા છે અને આશા છે કે વિઝા સંબંધિત કોઈ સમસ્યા ઊભી નહીં થાય,” એમ સૂત્રોએ કહ્યું.

આવા વિઝા મુદ્દાઓ અગાઉ પણ પાકિસ્તાની મૂળના ખેલાડીઓને ત્રાસ આપી ચૂક્યા છે. ૨૦૧૯માં ઝુલ્ફિકાર ભાઈઓ - સિકંદર અને સાકિબ -ને વિઝા નકારવામાં આવ્યો હતો, જ્યારે ૨૦૨૩ વર્લ્ડ કપમાં શિરાઝ અહમદનો વિઝા વિલંબિત થયો હતો.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજા (૨૦૧૭) તેમજ ઈંગ્લેન્ડના સ્પિનર્સ રેહાન અહમદ અને શોએબ બશીર (૨૦૨૪) પણ અગાઉ વિઝા સમસ્યાનો સામનો કરી ચૂક્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ ટીમોને વિઝા મેળવવામાં મદદ કરી રહ્યા છે, પરંતુ આ તાજેતરની સમસ્યાએ તેમના કાર્યભારને વધારી દીધો છે.

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?