ADVERTISEMENT

ADVERTISEMENT

ઘોડાગાડી અકસ્માતમાં માર્યા ગયેલા ભારતીય કિશોરનો પરિવાર ન્યૂયોર્ક સામે $105 મિલિયનનો દાવો કરશે

ભારતીય કિશોર રોમંચ મહાજનના પરિવારે ન્યૂયોર્ક સિટી પાસેથી $105 મિલિયનનું વળતર માગ્યું, આક્ષેપ છે કે વીજળીના લીકેજ અને શહેરની બેદરકારીને કારણે ઘોડો બેકાબૂ થયો હતો.

 રોમાન્ચ મહાજનનો પરિવાર રોમાન્ચ મહાજનનો પરિવાર / NYC City Council

ન્યૂયોર્કમાં ઘોડાગાડી અકસ્માતમાં માર્યા ગયેલા ભારતીય કિશોર રોમંચ મહાજનના પરિવારે ન્યૂયોર્ક સિટી સરકાર સામે $105 મિલિયનના વળતરની માગ સાથે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

પરિવારે ગયા અઠવાડિયે શહેરને આપેલી નોટિસમાં આક્ષેપ કર્યો છે કે સેન્ટ્રલ પાર્કમાં ફેલાયેલી વીજળીના કારણે ઘોડો ગભરાઈને બેકાબૂ થયો હતો અને આ ઘટના શહેર સરકારની બેદરકારીનું પરિણામ હતી. રોમંચનો પરિવાર તેની હાઈસ્કૂલ ગ્રેજ્યુએશનની ઉજવણી માટે ન્યૂયોર્ક ફરવા ગયો હતો. 17 જૂને પરિવારે ઘોડાગાડીમાં સવારી કરી હતી.

ઘોડાગાડીનો ડ્રાઈવર ફોટો પાડવા માટે નીચે ઉતર્યો ત્યારે અચાનક ઘોડો બેકાબૂ થઈને દોડવા લાગ્યો. આ દરમિયાન રોમંચની માતા પ્રિયા ગાડીમાંથી નીચે પડી ગઈ હતી. તેમને બચાવવાના પ્રયાસમાં રોમંચે પણ છલાંગ લગાવી હતી, પરંતુ તેનું માથું જમીન સાથે અથડાતા ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત થયું હતું.

પરિવારે ન્યૂયોર્ક સિટી અને તેના ચાર વિભાગો સામે નોટિસ દાખલ કરી છે. કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયાના પ્રથમ પગલા તરીકે આ નોટિસ આપવામાં આવી છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે શહેરની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો.

પરિવારના જણાવ્યા અનુસાર, ફેલાયેલી વીજળી સહિતના અન્ય પરિબળોએ ઘોડાને બેકાબૂ થવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વીજળીના લીકેજ અંગેનો આક્ષેપ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયને પણ કર્યો હતો, જેમાં ઘોડાગાડીના ડ્રાઈવર એર્તન ગોકદેપે સભ્ય હતા.

ડ્રાઈવરનો બચાવ કરતાં યુનિયનના સ્થાનિક એકમના ઉપાધ્યક્ષ એલેક્ઝાન્ડર કેમ્પે ગયા મહિને કહ્યું હતું કે શહેરની વીજળી વ્યવસ્થાની ખામીને કારણે સર્જાયેલા અણધાર્યા જોખમ માટે બ્લૂ-કોલર ઘોડાગાડી ડ્રાઈવરોને દોષી ઠેરવવા જોઈએ નહીં.

18 વર્ષીય રોમંચ પઠાણકોટનો રહેવાસી હતો. તેણે એન્જલ્સ પબ્લિક સ્કૂલમાંથી ધોરણ 12 પૂર્ણ કર્યું હતું અને કોલેજમાં અભ્યાસ શરૂ કરવાનો હતો, ત્યારે આ દુર્ઘટના બની હતી.

રોમંચના મોત બાદ ન્યૂયોર્ક સિટીમાં પ્રવાસીઓ માટે ચલાવવામાં આવતી ઘોડાગાડીઓ પર પ્રતિબંધ મૂકવાની ઝુંબેશને વેગ મળ્યો છે.

રોમંચ મહાજનની યાદમાં પ્રસ્તાવિત કાયદાનું નામ ‘રોમંચ મહાજન બિલ’ રાખવામાં આવ્યું છે. સિટી કાઉન્સિલ દ્વારા ટૂંક સમયમાં આ બિલ પર મતદાન થવાની અપેક્ષા છે. તેના સમર્થકોનું કહેવું છે કે બિલ પસાર કરવા માટે બહુમતી સભ્યોનું સમર્થન છે.

ગયા મહિને રોમંચના પિતા દીપક મહાજને વીડિયો લિંક મારફતે સિટી કાઉન્સિલ સમક્ષ ભાવુક અપીલ કરી હતી અને ઘોડાગાડીઓ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી.

તેમણે કહ્યું હતું, “એક યુવાન પોતાના સપનાઓ સાથે અમેરિકા આવ્યો હતો, પરંતુ બહુ જલ્દી અમને છોડીને ચાલ્યો ગયો. આ કોઈ અણધારી દુર્ઘટના નહોતી. આ લોકોની સુરક્ષા કરવામાં વ્યવસ્થાની નિષ્ફળતા હતી અને આ અકસ્માત માટે જવાબદાર દરેક વ્યક્તિએ સ્વીકાર્યું છે કે ડ્રાઈવરે ઘોડાગાડી છોડવી જોઈતી નહોતી.”

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?