કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે નવસારીમાં 14 કરોડના કામોનું લોકાર્પણ
April 2025 36 views 02 min 07 secનવસારી મહાનગરપાલિકાના વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં અનેક વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનગરપાલિકાની નવી વેબસાઇટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે નવી બનેલી 9 મહાનગરપાલિકાઓમાં નવસારી પ્રથમ એવી મહાનગરપાલિકા બની છે જેણે પોતાની વેબસાઇટ વિકસાવી છે.